Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

પંજાબમાં સરકારી શાળાઓને શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓના નામ પર રખાશે : શિક્ષણમંત્રીની જાહેરાત

શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે ગ્રામ પંચાયતો અને શાળા વ્યવસ્થાપન સમિતિઓને શાળાઓના નામ બદલવા માટે ઠરાવ પસાર કરવા માટે કહેવાયું છે.

પંજાબના શાળા શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે મંગળવારે કહ્યું કે રાજ્યની સરકારી શાળાઓનું નામ શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓના નામ પર રાખવામાં આવશે. બેન્સે કહ્યું કે ગ્રામ પંચાયતો અને શાળા વ્યવસ્થાપન સમિતિઓને શાળાઓના નામ બદલવા માટે ઠરાવ પસાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓના જીવનચરિત્ર સાથેનો પ્રસ્તાવ આવતા મહિના સુધીમાં રાજ્યના મુખ્યાલયને મોકલવો જોઈએ, એમ મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. બેન્સે કહ્યું કે આવનારી પેઢીઓ સ્વતંત્રતા સેનાનીઓ અને દેશ માટે શહીદ થયેલા લોકોના બલિદાન વિશે જાણી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ આ પહેલ હરિયાણામાં પણ શરૂ કરવામાં આવી હતી. હરિયાણામાં ભાજપ-જેજેપી ગઠબંધન સરકારે શહીદોના સન્માન માટે એક મોટું પગલું ભર્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યની તમામ સરકારી શાળાઓને શહીદોના નામ પર રાખવામાં આવશે. આ ઉપરાંત ગામડાઓ તરફ જતા PWD રસ્તાઓના નામ પણ શહીદોના નામ પર જાહેર કરવામાં આવ્યા હતા.

(11:44 pm IST)