Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

NCP સુપ્રીમો શરદ પવાર સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનું નેતૃત્વ કરશે

પૂર્વ મંત્રી પ્રફુલ પટેલ, મહારાષ્ટ્ર પ્રમુખ જયંત પાટીલ, વરિષ્ઠ નેતાઓ અજિત પવાર, સુપ્રિયા સુલે, છગન ભુજબળ અને પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટો સહિત 31 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

નવી દિલ્હી : NCP સુપ્રીમો શરદ પવાર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનું નેતૃત્વ કરશે. NCPએ સોમવારે આ જાહેરાત કરી હતી. એનસીપીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ, મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલ, વરિષ્ઠ નેતાઓ અજિત પવાર, સુપ્રિયા સુલે, છગન ભુજબળ અને પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટો સહિત 31 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી હતી.

એનસીપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. એનસીપી  કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ત્રણ બેઠકો – ઉમરેઠ, નરોડાઅને દેવગઢ બારિયા ચૂંટણી લડશે. જેમાં 2017ની ગુજરાત ચૂંટણીમાં, કાંધલ જાડેજા એકમાત્ર NCP ઉમેદવાર હતા, જે પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે.

(8:42 pm IST)