News of Tuesday, 15th November 2022
નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની માલિકીની દેશની પૂર્વ સરકારી એરલાઇન એર ઇન્ડિયાને આંચકો લાગ્યો છે. યુ.એસ. સરકારે 14 લાખ ડોલરનો દંડ ફટકાર્યો છે.
ટાટા ગ્રુપની માલિકીની દેશની ભૂતપૂર્વ સરકારી એરલાઈન એર ઈન્ડિયાને આંચકો લાગ્યો છે. યુએસ સરકારે એર ઈન્ડિયા પર 14 લાખ ડોલરનો દંડ લગાવ્યો છે. આ સિવાય એર ઈન્ડિયાને મુસાફરોને 12.15 મિલિયન ડોલર પરત કરવા પણ કહેવામાં આવ્યું છે. જાણો આખરે શા માટે આ દંડ અને રિફંડનો ઓર્ડર આવ્યો છે.
એર ઈન્ડિયાને શા માટે દંડ કરવામાં આવ્યો અને રિફંડ ઓર્ડર મળ્યો
કોવિડ-19 રોગચાળા દરમિયાન એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ કેન્સલ થવાથી અથવા તેમના સમયપત્રકમાં ફેરફારથી અસરગ્રસ્ત મુસાફરોને ટિકિટના પૈસા રિફંડ કરવામાં વિલંબને કારણે એર ઈન્ડિયાને દંડ કરવામાં આવ્યો છે અને રિફંડ ઓર્ડર આપવામાં આવ્યો છે. જો કે, રિફંડમાં વિલંબના આ કિસ્સાઓ ટાટા જૂથ દ્વારા એર ઈન્ડિયાના ટેકઓવર પહેલાના છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનનું કહેવું છે કે એર ઈન્ડિયાની રિફંડ પોલિસી હેઠળ મુસાફરોને તેમના રિફંડ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ કારણોસર એર ઈન્ડિયાને પેસેન્જરોને પૈસા પાછા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે અને દંડ પણ ભરવો પડશે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન 6 એરલાઇન્સને રિફંડનો આદેશ
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને સોમવારે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એ છ એરલાઇન્સમાં સામેલ છે જેને મુસાફરોને કુલ $600 મિલિયન રિફંડ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એર ઈન્ડિયા ઉપરાંત ફ્રન્ટિયર, TAP પોર્ટુગલ, એરો મેક્સિકો, EI AI અને Avianca Airlinesને પણ યુએસ સરકારે દંડ ફટકાર્યો છે.
અધિકારીઓએ શું કહ્યું
અમેરિકી અધિકારીઓએ કહ્યું કે એર ઈન્ડિયા દ્વારા મુસાફરોને ‘રિફંડ ઓન રિફંડ’ની જોગવાઈ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનની નીતિઓની વિરુદ્ધ છે. અમેરિકી સરકારે એક નિયમ બનાવ્યો છે કે ફ્લાઇટ કેન્સલ અથવા બદલાવના કિસ્સામાં એરલાઇનને કાયદેસર રીતે પેસેન્જરની ટિકિટના પૈસા પાછા આપવા પડશે. વિભાગીય તપાસમાં જાણવા મળ્યું છે કે એર ઈન્ડિયાએ અડધાથી વધુ રિફંડ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં 100 દિવસના નિર્ધારિત સમય કરતાં વધુ સમય લીધો હતો.