Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કોંગ્રેસની ન્યાય યોજના તૈયાર કરવામાં નોબલ વિજેતા અભિજીતનો હાથ હતો : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે અર્થશાસ્ત્રનું નોબેલ જીતનાર ભારતીય મૂળના અભિજીત બેનર્જીએ કોંગ્રેસની ન્યાય યોજના ( ન્યુનતમ આય યોજના) તૈયાર કરવામાં મદદ કરી હતી.

એમણે કહ્યું આમા ગરીબીને ખત્મ કરવા, ભારતીય અર્થવ્યવસ્થાને તાકાત આપવાની ક્ષમતા હતી.

અભિજીતને પત્ની એસ્થર ડફલોની સાથે સંયુકત રીતે નોબલ મળ્યું છે.

રાહુલએ કહ્યું હવે અમારી પાસે મોદીનોમિકસ છે જે અર્થવ્યવસ્થાને નષ્ટ કરી રહી છે.

(10:03 pm IST)