Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

અભયભાઈની સારવાર માટે અમદાવાદના ત્રણ ટોચના ડોકટરો સાથે ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટ પહોંચ્યા

રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી અને રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજને કોરોના પોઝીટીવ થયા પછી રીકવરી થતી ન હોય અમદાવાદના ત્રણ ટોચના કોરોના સ્પેશ્યાલીસ્ટ ડોકટરો ખાસ વિમાન દ્વારા રાજકોટ આવી પહોંચ્યા હોવાનું શ્રી નીતિનભાઇ ભારદ્વાજે અકિલાને જણાવ્યુ છે. છે. તેમની સાથે રાજયના વરિષ્ઠ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ આવ્યા છે. અભયભાઈની ઝડપી રીકવરી માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણી જાતે સતત મોનીટરીંગ કરી રહ્યાનું જાણવા મળે છે અને નરેન્દ્રભાઈ પણ આ અંગે સતત મોનીટરીંગ કરી રહ્યા છે. એઈમ્સના ટોચના ડોકટરો પણ સારવારમાં જોડાયા છે. અભયભાઈને સતત વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ વાયરોલોજીના નિષ્ણાંત ડો.અતુલ પટેલ અને ભરતસિંહ સોલંકીને નવજીવન આપનાર ડો. તુષાર પટેલ વિમાન માર્ગે રાજકોટ આવી પહોંચ્યા છે.

(4:09 pm IST)