Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

મોદી સરકારના ત્રણ કાળા અધ્‍યાદેશ ખેડૂત-ખેત મજૂરો પર ઘાતક પ્રહાર છે : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સટાસટી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ત્રણ અધ્‍યાદેશો દ્વારા ખેડૂતોના હકક મારવા અને એમના વિરૂધ્‍ધ ષડયંત્ર કરવાનો આરોપ લગાવ્‍યો છે. એમણે પોતાના બીજા ટવિટમાં મોદી સરકાર પર હમલો કર્યો બતાવી દઇએ કે જયારથી કેન્‍દ્ર સરકારએ કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે અધ્‍યાદેશ જારીકર્યા છે ત્‍યારથી ખેડૂત આ નિર્ણય વિરૂધ્‍ધ પ્રદર્શન કરી રહ્યા છે. જૂલાઇ મહિનાથીજ ખેડૂતોમાં ગુસ્‍સો છે. હરિયાણાના કુરૂક્ષેત્રમાં ખેડૂતો અને પોલિસ વચ્‍ચે અથડામણ થઇ જે પછી લાઠીચાર્જ અને પથ્‍થરમારો થયો, ખેડૂતોનું કહેવું છે નવા અધ્‍યાદેશને લઇ વેપારી ખેડૂતોને ઉપજના ઓછા ભાવ આપી વેંચવા પર મજબૂર કરશે.

(12:00 am IST)