Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

શ્રી રામજન્‍મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્‍ટના મહાસચિવ ચંપતરાયના વિવાદિત નિવેદન પર ભડકયા અયોધ્‍યાના સાધુ-સંતઃ કહ્યું ભગવાન શ્રી રામનું કર્યું અપમાન નિવેદનને અયોધ્‍યા અને શ્રી રામનું અપમાન બતાવતાં ટ્રસ્‍ટમાંથી હટાવવાની માંગ કરી

કેન્‍દ્ર સરકારની તરફથી રામ મંદિર નિર્માણ માટે ગઠન કરવામાં આવેલ શ્રી રામ જન્‍મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્‍ટના મહાસચિવ ચંપતરાયનું નિવેદન હવેએમના ગળાનો ગાળિયો બની ગયું છે. અયોધ્‍યામાં સંતોએ એમના વિરૂધ્‍ધ મોરચો ખોલ્‍યો છે. હનુમાનગઢી સામે સંતો અને મહંતોએ ચંપતરાય વિરૂધ્‍ધ જોરદાર નારા લગાવ્‍યા. સંતોએ ચંપતરાયના નિવેદનને અયોધ્‍યા અને શ્રી રામનું અપમાન બતાવતાં એમને ટ્રસ્‍ટમાંથી હટાવવાની માંગ કરી છે.

ચંપતરાયએ આપતિજનક નિવેદન આપ્‍યું હતું. સંતોના વિરોધનો આ સિલસિલો સતત જોર પકડી રહ્યો છે. આવા શબ્‍દ બોલનારને અયોધ્‍યાવાસી જોવાનું પણ પસંદ નથી કરતા.

(12:00 am IST)