Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

વૈષ્ણોદેવી તરફ જતાં ૪ શ્રદ્ધાળુઓના મોત થયા

ભેખડો ધસી પડતા અન્ય ૨૫ ઘાયલ

શ્રીનગર,તા. ૧૫ : જમ્મુ કાશ્મીરના આવાસ વિસ્તારમાં વૈષ્ણોદેવી જતાં શ્રદ્ધાળુઓ ઉપર ભેખડ ધસી પડતા ચારના મોત થયા છે અને ૨૫થી વધુ લોકો ઘાયલ થયા છે. રિયાસી જિલ્લામાં ભેખડો ધસી પડતા આ બનાવ બન્યો હતો. આ બનાવમાં ૨૫થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. આ શ્રદ્ધાળુઓ રસ્તામાં એક ઝરણાની પાસે સ્નાન માટે રોકાયા હતા તે જ ગાળામાં એક વિશાળ શીલા પડતા આ બનાવ બન્યો હતો. ઘાયલોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલોની ઓળખ થઇ નથી.

 

(8:02 pm IST)