Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

PNBના ગોટાળા બાદ બે નિર્દેશકોની સતા ખુચવી લેવાઇ

અલ્હાબાદ બેંકના એમડીનો પણ ફેસલો થશે

નવી દિલ્હી તા.૧૫: પંજાબ નેશનલ બેંકમાં નીરવ મોદી દ્વારા ૧૩ હજાર કરોડના ગોટાળામાં સરકારે અલ્હાબાદ બેંકના એમડી અને સીઇઓ ઉષા અનંત સુબ્રમણ્યમ અને પંજાબ નેશનલ બેંકના બે કાર્યકારી નિર્દેશકોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.

ઙ્ગઙ્ગસીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરવાના ગણત્રીના કલાકોમાંજ સરકારે આ નિર્દેશ આપ્યા છે.ઙ્ગ પીએનબી બોર્ડની  તાત્કાલીક બેઠક બોલાવી બે કાર્યકારી નિર્દેશકો કેવી બ્રહ્માજી રાવ, સંજીવ સરનને તમામ સતાઓથી દુર કરવામા઼ આવ્યા છે. જેની સુચના મુંબઇ સ્ટોક એકસચેન્જને દેવામાં આવી છે. જયારે આજે અલ્હાબાદ બેંકની બોર્ડ બેઠક મળી રહી છેે. જેનાં ઉષા પાસેથી સીઇઓ અને એમડી સહિત તમામ પદ પરત લઇ લેવાની શકયતા છે.

(2:34 pm IST)