Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ચલણી નોટ પર લક્ષ્મીજીનો ફોટો છાપી નાખો : અર્થ વ્યવસ્થા સુધરી જશે :

ઇન્ડોનેશિયાની કરન્સી પર ગણેશજીનો ફોટો છે તો દેશની કરન્સી સુધારવા લક્ષ્મીજીનો ફોટો મુકવો જોઈએ

ખંડવા :મધ્યપ્રદેશના ખંડવામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ અર્થવ્યવસ્થા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે લક્ષ્મીની ફોટો નોટ પર છાપવો જોઈએ તો અર્થતંત્ર ટકી રહેશે

 વત્સ્વમાં જ્યારે ભગવાન ગણેશની પ્રતિમાને ઇન્ડોનેશિયામાં નોટો ઉપર છાપવામાં આવતા હોવાના સમાચાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે સ્વામીએ પત્રકારોને કહ્યું હતું કે 'હું કહું છું કે આપણી નોટમાં પણ લક્ષ્મીનું ચિત્ર પણ હોવું જોઈએ. ગણપતિ વિધ્નહર્તા છે તો  દેશની ચલણ સુધારવા માટે લક્ષ્મીની તસવીર લગાવી શકાય છે અને કોઈને પણ તેના વિશે ખરાબ ન લાગે. જો કે, તેમણે કહ્યું કે દેશના અર્થતંત્રમાં સુધારો લાવવા માટે ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી લક્ષ્મીજીના ફોટોગ્રાફ્સને નોટો પર છાપવા વિશે જવાબ આપી શકે છે.

(9:54 pm IST)