Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

આતંકીઓ પર વળતો પ્રહાર : શ્રીનગરમાં એક આતંકી ઠાર

ગઇકાલે આતંકીઓએ સેનાની બસ પર હુમલો કર્યા બાદ સેનાની મોટી કાર્યવાહી

શ્રીનગર તા. ૧૪ : જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સુરક્ષાદળોની આતંકીઓ વિરૂદ્ઘ મોટી કાર્યવાહી ચાલી રહી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ૧ આતંકવાદીને ઠાર કર્યો છે.

સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. શ્રીનગરમાં ગઈકાલે રાત્રે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા હતા અને ૧૧ પોલીસકર્મી ઘાયલ થયા હતા.

આતંકવાદીહુમલામાં ઘાયલ ત્રીજા પોલીસકર્મી રમીઝ અહેમદ આજે સવારે શહીદ થયા છે. તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.આતંકવાદીસંગઠન જૈશ-એ-મોહમ્મદના જૂથ કાશ્મીર ટાઈગર્સે શ્રીનગર આતંકી હુમલાની જવાબદારી લીધી છે.સુરક્ષા દળોએ પુંછના સુરનકોટમાં આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. બંને તરફથી ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. લશ્કરનો એકઆતંકવાદીમાર્યો ગયો છે. આતંકવાદીઓથી બચવું અશકય છે. ૧૬ રાષ્ટ્રીય રાઈફલ્સ અને SOGની ટીમ સંયુકત રીતે આતંકવાદીઓ વિરુદ્ઘ આ સંયુકત ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષા દળોને ઈનપુટ મળ્યા હતા કે પૂંચમાં ૨ થી ૩ આતંકીઓ છુપાયા છે.નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ફરી એકવાર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. શ્રીનગરમાં સુરક્ષા દળોની બસ પર આતંકી હુમલો. આ હુમલામાં ૩ જવાન શહીદ થયા છે, જયારે ૧૧ ઘાયલ થયા છે. શ્રીનગરના જેવાન પંથા ચોક વિસ્તાર પાસે આતંકવાદીઓએ પોલીસ બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

(3:35 pm IST)