Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

કબજીયાત, અનિંદ્રા, ચાંદા પડવાની સમસ્‍યા હોય તે લોકો માટે રામબાણ ઇલાજ : ટમેટા

ભોજન બનાવવા માટે આપણે ઘણા બધા મસાલાઓ સાથે ઘણી બધી શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ. દરેક મસાલા અને શાકભાજી શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને જો ટામેટાની વાત કરીએ તો ટામેટા દરરોજ ઉપયોગમાં આવતી વસ્‍તુ છે.

બધા લોકો ટામેટાનો ઉપયોગ ભોજનમાં જુદી જુદી વાનગીઓમાં સ્‍વાદ વધારવા કરે છે. ખાસ કરીને શાક, દાળ અને સલાડ માં તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ટામેટાનો ઉપયોગ વધુમાં વધુ ફાયદો મેળવવા કેવી રીતે કરી શકીએ તે વિષે મોટાભાગના બધા લોકો અજાણ હોય છે.
* ટામેટામાં ભરપૂર માત્રામાં શરીરને જરૂરી પોષકતત્‍વો સાથે  વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી ખૂબ જ સારી માત્રામાં મળી રહે છે.
* ટામેટાનો રસ હરસ, મસા અને કબજીયાતને મટાડનાર છે. આ સાથે તે લોહીમાં વધારો અને પિત્તની વળદ્ધિ કરનાર છે. ટામેટા અરૂચિ માટે ફાયદાકારક છે. ટામેટાનું કચુમ્‍બર કરીને તેમાં સુંઠ અને સિંધા નમક નાખીને ખાવાથી અરૂચિ મટે છે.
* જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય અને શરીર પીળું રહેતું હોય તેવા લોકોએ ટામેટાના સૂપની અંદર એક થી બે ચમચી જેટલો ચ્‍યવનપ્રાશ નાખી સવાર-સાંજ લેવાથી શરીર એકદમ ટામેટા જેવું લાલ બની જાય છે. એટલે કે શરીરમાં લોહી વધારવા માટે અને લોહીની ઉણપ દૂર કરવા ટામેટા ખૂબ જ મદદરૂપ થાય છે.
* જે લોકોને આખો દિવસ પસાર કરવા છતાં પણ ભૂલ લાગતી ન હોય તેવા લોકોએ ટામેટાના ટુકડા કરી તેના ઉપર સિંધવ મોઠું, ધાણાજીરૂ અને કાળા મરીનો પાવડર મિશ્ર કરી ખાવાથી ભૂખ ઉગડે છે અને પાચનશક્‍તિ તીવ્ર બને છે.
* જે લોકો વારંવાર કબજીયાતની સમસ્‍યાથી પીડાઈ રહ્યા છે તેના માટે ટામેટા રામબાણ સાબિત થાય છે. આ માટે સવાર-સાંજ દરરોજ તાજા ટામેટાનો સુપ પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. આ સાથે જે લોકોને અનિદ્રાની સમસ્‍યા હોય તે લોકો માટે પણ  ટામેટાનો સુપ ફાયદાકારક છે.
* જે લોકોના મોઢામાં અવારનવાર ચાંદાં પડે છે તે લોકો માટે  ટામેટા ફાયદારૂપ સાબિત થાય છે. આ માટે પાણીમાં ટામેટાના રસને મિક્‍સ કરી એના કોગળા કરવાથી ચાંદા ઠીક થઈ જાય છે. કળમિ રોગ માં ટામેટાના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી ફાયદો થાય છે.
* હાડકાને મજબૂત કરવા ટામેટા ફાયદાકારક છે. ટામેટા માં કેલ્‍શિયમ રહેલું હોવાથી તે હાડકાને મજબૂત કરે છે. આ સાથે સાંધાની તકલીફમાં પણ ટામેટા ખાવાથી રાહત મળે શકે છે. તમને જણાવીએ કે કાચા ટામેટા ખાવાથી લોહીમાં બ્‍લડ શુગરનું લેવલ જળવાઈ રહે છે અને આથી ડાયાબિટીસની બીમારી સામે ટામેટા ખાવાથી રક્ષણ મળે છે.
* કોને ટમેટા ખાવાથી દૂર રહેવું જ્જ
 જે લોકોને પથરી, સોજા, સંધિવા અને અમ્‍લપિત્તના રોગની તકલીફ હોય તેવા લોકોએ ટમેટાનું સેવન કરવું જોઈએ નહિ. આ સાથે જે લોકોને ટામેટા ખાવાથી એલર્જીની સમસ્‍યા રહેતી હોય તે લોકોએ પણ ટામેટા ખાવાથી દૂર રહેવું જોઈએ.

 

(10:48 am IST)