Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૪૧

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

આધ્‍યાત્‍મીક અનુભવ

‘‘આખરે દરેક વ્‍યકિતએ યાદ રાખવું પડશે કે બધી જ વસ્‍તુઓ છુટી જવી જોઇએ જેથી તમે શુધ્‍ધ અવસ્‍થામાં રહી શકો આધ્‍યાત્‍મીક અનુભવ પણ બાધારૂપ છે.''

કઇક થાય છે અને ધ્‍વંદ ઉત્‍પન્ન થાય છે જયારે તમને ગમે તેવું કઇક થાય છે. ત્‍યારે તેને વધારે મેળવવાની ઇચ્‍છા થાય છે ત્‍યારે તેને વધારે મેળવવાની ઇચ્‍છા થાય છે તમને તેને ગુમાવવાનો ભય ઉત્‍પન્‍ન થાય છે તેથી બધી જ ભ્રષ્‍ટતા લાલચ અને ભયમાંથી આવે છે અનુભવથી તમે જાળમાં ફસાઇ જાવ છો.

મારા બધા જ પ્રયત્‍નો તમને અનુભવથી પર લઇ જવા માટેના છે કારણ કે તો જ તમે મનથી પર જઇ શકસો અને ત્‍યા જ શાંતી છે. જયારે કોઇ અનુભવ નહી હોય ત્‍યારે  શાંતિ હશો જયારે કોઇ આશીર્વાદ નહી હોય ત્‍યારે જ આશીર્વાદ હશે - કારણ કે આશીર્વાદ એ અનુભવ નથી તમે એ અનુભવી ના શકો જો તમે અનુભવો તો તે ફકત ખૂશી છે. તે જતી રહેશે. અને તમે અંધકારમા રહી જશો.

જો તમે અર્થ સમજી ગયા હશો તો કોઇ વીધી આધ્‍યાત્‍મીક નથી. બધી જ વીધીઓ તમને અનુભવ આપે છે. અને એક દિવસ એવો ધ્‍યેય હોવો જોઇએ કે બધુજ  છુટી જવુ જોઇએ તમે તમારા ઘરમાં એકલો છો-કોઇ અનુભવ વગર અને પછી જ તમને આખરી અનુભવ થશે પરંતુ તે ‘‘અનુભવ'' નથી પરંતુ કહેવાની એક રીત છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:16 am IST)