News of Tuesday, 14th September 2021
ચેન્નાઇ,તા.૧૪: તમિલનાડુ વિધાનસભાએ સોમવારે સામાજિક ન્યાયને સુનિશ્યિત કરવા માટે ધોરણ ૧૨ ના ગુણ પર આધારે જ મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ આપવા અને નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET)ને રાજયમાં રદ કરતો ખરડો પસાર કર્યો છે.
મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને બિલ રજૂ કર્યું હતું અને મુખ્ય વિપક્ષ AIADMK અને તેના સહયોગી ભ્પ્ધ્ સહિત તમામ પક્ષો અને કોંગ્રેસ જેવા અન્ય લોકોએ આ બિલને ટેકો આપ્યો હતો જે મેડિસિન, દંત ચિકિત્સા, ઇન્ડિયન મેડિસિન અને હોમિયોપેથી પર આધારિત UG અભ્યાસક્રમોમાં ધોરણ ૧૨ના ગુણ પર પ્રવેશ આપવા આધારિત છે. સરકારના આ પગલાનો વિરોધ કરતા ભાજપે વોકઆઉટ કર્યું હતું.
સ્ટાલિનએ નિવૃત્ત્। ન્યાયાધીશ એકે રાજનની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણના આ આધારે બિલ રજૂ કર્યું હતું જેણે જુલાઈમાં તેનો અહેવાલ રજૂ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત્। ન્યાયાધીશે કહ્યું હતું કે વિવિધ હિસ્સેદારોની લગભગ ૮૬,૦૦૦ રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાંથી મોટાભાગના લોકોએ કહ્યું કે તેઓ NEET માંગતા નથી.
સ્ટાલિને જણાવ્યું હતું કે સામાજિક ન્યાયની ખાતરી કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણની કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી, રાજય સરકારે NEET ને દૂર કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સમિતિએ અહેવાલ આપ્યો છે કે NEET એ MBBS અને ઉચ્ચ તબીબી અભ્યાસોમાં વિવિધ સામાજિક પ્રતિનિધિત્વને નબળું પાડ્યું છે, જે મુખ્યત્વે સમાજના સમૃદ્ઘ વર્ગોની તરફેણ કરે છે અને વંચિત સામાજિક જૂથોના સપનાને નિષ્ફળ બનાવે છે.'
વિપક્ષના નેતા એડપ્પડી કે પલાનીસ્વામીએ દાવો કર્યો હતો કે DMK સરકાર આ વર્ષે NEET યોજાશે કે નહીં તે અંગે સ્પષ્ટતા આપવામાં નિષ્ફળ રહી હતી અને NEETને ૧૯ વર્ષીય વિદ્યાર્થી ધનુષને મોતના મુખમાં ધકેલી દીધો હતો.