-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
વકીલના ડ્રેસમાં સજ્જ શખ્સે કોર્ટમાં જજ પર ફેંકી લોખંડની વાંસળી : થઇ પાંચ વર્ષની સજા
આરોપીએ જણાવ્યું હતું કે નાના ભાઈની હત્યા થઈ હોવાના કારણે તે તણાવમાં છે
મુંબઈ,તા.૧૪: સેસન કોર્ટના જજ પર લોખંડની વાંસળી ફેંકવા બદલ એક વ્યકિતને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ૬૦ વર્ષીય વ્યકિત વકીલના ડ્રેસમાં દિંડોશી સેશન કોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો અને તેણે બૂમ પાડી હતી કે 'ભગવાન કૃષ્ણ, આજે કૃષ્ણનો જન્મ થયો છે' અને તે સાથે જ તેણે જજ પર લોખંડની વાંસળી ફેંકી હતી. જેમાં એક સ્ટેનોગ્રાફરને ઈજા થઈ હતી. આ ઘટનામાં દોષિત ઠરતા તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
આરોપી ઓમકારનાથ પાંડે અંધેરીમાં રહે છે. તેણે દાવો કર્યો હતો કે તેના નાના ભાઈની હત્યા થઈ છે અને તેના કારણે તે ઘણા તણાવમાં છે. કોર્ટમાં તેના ભાઈની હત્યાના કેસની ટ્રાયલ ચાલી રહી છે. જાન્યુઆરી ૨૦૨૦માં આ ઘટના બની હતી અને ત્યારથી તે જેલમાં છે.
કોર્ટે જણાવ્યું હતું કે, ગુના માટે આપવામાં આવતી જતા અપ્રસ્તુત ન હોવી જોઈએ પરંતુ તે અત્યાચાર અને નિર્દયતા સાથે સુસંગત હોવી જોઈએ. નોંધનીય છે કે આરોપી ફોજદારી બળનો ઉપયોગ કરવા અને જાહેર સેવકને તેની ફરજ બજાવવાથી રોકવા માટે સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવા સંબંધિત ગુનાઓ માટે દોષિત સાબિત થયો હતો. આવા ગુનાઓ માટે મહત્ત્।મ મુદત પાંચ વર્ષની જેલ છે. પાંડે પણ આ ગુના માટે દોષિત ઠર્યા છે અને તેથી તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
કોર્ટે જણાવ્યું હતું કે કાયદાની પ્રક્રિયા પૂરી થયા બાદ લોખંડની વાંસળીને ડિસ્પોઝલ માટે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. કાળા કલરનો કોટ અને વ્હાઈટ બેન્ડ કંઈ કામના નથી, તેથી અપીલનો સમય પૂરો થયા બાદ તેનો નાશ કરવામાં આવે.
આ ઘટના જાન્યુઆરી ૨૦૨૦માં બની હતી. વકીલનો કાળા રંગનો કોટ અને ગળામાં સફેદ બેન્ડ પહેરીને પાંડે ૧૦ વાગ્યે કોર્ટ રૂમમાં હાજર થયા હતા. તેણે જોરથી બૂમો પાડ્યા બાદ પોતાની સાથે લાવેલી લોખંડની વાંસળી જજ તરફ ફેંકી હતી. તે વાંસળી ડાયાસ પર બેઠેલા સ્ટેનોગ્રાફર શ્રેયા વિચારેને વાગી હતી અને તેમને ઈજા થઈ હતી. આ ઘટના બાદ કુરાર પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધવામાં આવી હતી અને તે જ દિવસે પાંડેની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે એટલું તો સ્પષ્ટ છે કે પાંડેએ ઈરાદાપૂર્વક ગુનો કર્યો છે. તે જાણતો હતો કે જજ સામે લોખંડની વાંસળી ફેંકવાથી તેમને ઈજા થઈ શકે છે અને જાહેર સેવકને તેમની ફરજમાં અવરોધ ઊભો થઈ શકે છે. પાંડેને ૮,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાંથી ૫,૦૦૦ રૂપિયા વિચારેને વળતર તરીકે આપવામાં આવ્યા હતા.