Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : હોસ્પિટલમાં દાખલ

તેઓને કોઈ લક્ષણો નહોતા, સાવધાનીના ભાગરૂપે ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો

લખનૌ : રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેમને પીઝીઆઈ લખનઉમાં દાખલ કરાયા છે . લખનઉમાં માલ એવન્યૂમાં નિવાસ કરી રહેલા કલ્યાણ સિંહને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગની ટીમે તેમનો ટેસ્ટ કર્યો હતો. ગત રોજ તેમનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. જે બાદ તેમને લખનઉની પીજેઆઈ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. હાલ ડોક્ટર્સની સારવાર હેઠળ તેમની સારવાર ચાલી રહી છે

 કલ્યાણ સિંહના પૌત્ર અને યુપી સરકારમાં મંત્રી સંદીપ સિંહે જણાવ્યુ હતું કે, પીજીઆઈ લખનઉમાં તેમને ભરતી કરાવ્યા છે. કોરોનાના કોઈ લક્ષણ ન જણાયા છતાં સાવધાનીના ભાગરૂપે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોઝિટીવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા છે.

(6:33 pm IST)