Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મને તદ્દન નબળી સમજવી એ મોટી ભૂલ હશેઃ કંગના રનૌત

અભિનેત્રી મનાલી જવા માટે રવાના થઈ : મુંબઈ છોડતા સમયે અનેક ટ્વિટ કરીને કંગનાએ આક્રોશ ઠાલવતાં મુંબઈને પીઓકેનું નિવેદન યોગ્ય હોવાનું કહ્યું

મુંબઈ,તા.૧૪ : કંગના દિવસ સુધી મુંબઈમાં રહીને પોતાના વતન મનાલી પાછી ગઈ છે. કંગનાએ મુંબઈ છોડતા પહેલા ટ્વિટર પર પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે લોકશાહીનું ચીરહરણ થયું હોવાની વાત કરી હતી. કંગનાએ ટ્વીટમાં લખ્યું છે કે, 'જ્યારે રક્ષક ભક્ષક હોવાનું જાહેર કરી રહ્યા છે, મગરમચ્છ બનીને લોકશાહીનું ચીરહરણ કરી રહ્યા છે. મને નબળી સમજવાની મોટી ભૂલ કરી રહ્યા છે. એક મહિલાને ડરાવીને ઓછી આંકીને પોતાની છબી પર ધૂળ નાખી રહ્યા છે. મનાલીથી મુંબઈ આવતી વખતે કંગનાએ જેમ એક બાદ એક ઘણા ટ્વીટ કર્યા હતા. તેમ મુંબઈથી મનાલી જતી વખતે પણ કર્યા છે. અન્ય એક ટ્વીટમાં તેણે લખ્યું છે કે, 'ભારે હૈયે મુંબઈથી રવાના થઈ રહી છું. આટલા દિવસોમાં મને જે રીતે ડરાવી-ધમકાવી. મારી ઓફિસ તોડ્યા બાદ મારા ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું. જે રીતે મારી આજુબાજુ હથિયારધારી સિક્યુરિટી તૈનાત કરવામાં આવી.

 મારે કહેવું પડશે કે, પીઓકે સાથે સરખામણીવાળું મારૂ નિવેદન કંઈ ખોટું નહોતું. કંગનાએ પહેલાથી વાતની જાણકારી આપી દીધી હતી કે તે થોડા દિવસ માટે મુંબઈ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ફ્લાઈટથી આવનાર માટે ૧૪ દિવસના ક્વોરન્ટિનનો નિયમ છે. જેમાં કંગનાને કારણથી છૂટ આપવામાં આવી હતી કે તે અહીંયા અઠવાડિયા કરતાં ઓછા સમય માટે રહેવાની હતી. કંગનાને 'શોર્ટ ટર્મ વિઝિટર કેટેગરી' હેઠળ છૂટ આપવામાં આવી હતી. કંગના અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદ ત્યારે રૂ થયો જ્યારે એક્ટ્રેસે મુંબઈની સરખામણી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કરી.

 આ વાતથી નારાજ સંજય રાઉતે કહી દીધું કે, કંગનાને એટલી તકલીફ છે તો મુંબઈ પરત આવે. જે બાદ કંગનાએ મુંબઈ આવવાની ચેલેન્જ આપી અને ટ્વીટ કરીને કહ્યું કે, હું મુંબઈ આવી રહી છું. કોઈના બાપમાં તાકાત હોય તો રોકી બતાવે'. સંજય રાઉતે કંગના માટે 'હરામખોર લડકી' શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો, જેની ઘણી નિંદા થઈ હતી. બાદ કંગના મુંબઈ પહોંચે તે પહેલા બીએમસીના અધિકારીઓએ તેની ઓફિસમાં તોડફોડ કરી નાખી. બીએમસીની કાર્યવાહી સામે બોલિવુડનાં ઘણા સેલેબ્સે નારાજગી વ્યક્ત કરી હતી અને કંગનાને સપોર્ટ આપ્યો હતો.

(7:38 pm IST)