Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના મુદ્દે રાહુલ ગાંધીના ફરી સરકાર પર પ્રહાર: આ સપ્તાહમાં કોરોનાના કેસ 50 લાખને પાર કરશે

એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી વધુ થશે :અનિયોજનીત લોકડાઉન એક અહંકાર વ્યક્તિની દેન

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરી કોરોનાના મુદ્દે આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ આ અઠવાડિયામાં કોરોનાના કેસ 50 લાખને પાર કરશે તેવું કહ્યું છે. આ અઠવાડિયામાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી પણ વધુ થશે.

 

રાહુલ ગાંધીએ અનિયોજનીત લોકડાઉન એક અહંકાર વ્યક્તિની દેન હોવાનું જણાવ્યું છે. અનિયોજનિત લોકડાઉનથી કોરોના દેશભરમાં ફેલાયો છે

(9:56 am IST)