Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

દિલ્હીમાં નવા પોઝીટીવ કેસો અને મૃત્યુદરમાં ધરખમ ઘટાડોઃ કેજરીવાલ

લોકોનો સહયોગ અને ટેસ્ટીંગમાંછ વધારો કર્યો, જો કે સાવધાની રાખવી જરૂરી

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાની સ્થિતિના પગલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાજયમાં તમામ લોકોના સહયોગથી અને ટેસ્ટીંગમાં વધારો કરાતા પોઝીટીવ કેસો અને મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે.

કેજરીવાલે કહ્યું કે પોઝીટીવ કેસો અને મૃત્યુદરમાં ઘટાડો થયો છે. પરંતુ તેનાથી સંતોષ માનવો ન જોઈએ. કારણ કે ફરીમાં કયારે કેસોમાં વધારો આવી જાય. એટલા માટે સાવધાની રાખવી જરૂરી છે. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને નિયમીત હાથ ધોતા રહેવું જોઈએ.

રાજધાની દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં૧૨૪૬ના નવા કેસ નોંધાયા છે અને ૪૦ના મોત નિપજયા હતા. અત્યાર સુધીમાં ૧,૧૩,૭૪૦ કેસ નોંધાયા છે અને ૩,૪૧૧ના મોત નિપજયા છે.

(4:12 pm IST)