Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

કર્ણાટક જીતનાર 2019 લોકસભાનો પ્રબળ દાવેદાર :બાબા રામદેવનો દાવો

કર્ણાટક ચૂંટણી ભારતીય રાજકારણને નવી દિશા આપશે

 

નવી દિલ્હી :કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોની પૂર્વ સંધ્યાએ યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું છે કે કર્ણાટક ચૂંટણી ભારતીય રાજકારણને નવી દિશા આપશે.સાથે તેમણે દાવો કર્યો કે જે કર્ણાટક જીતશે, તે 2019 લોકસભા ચૂંટણી જીતવાનો પ્રબળ દાવેદાર હશે.

 આવતીકાલે કર્ણાટક વિધાનસભાના પરિણામ આવવાના છે એક્ઝિટ પોલ્સમાં ત્રિશંકુ વિધાનસભાની ભવિષ્યવાણીને જોતા સરકાર બનાવા માટે જોડ-તોડનો દોર શરૂ થઇ ગયો છે. બધાની વચ્ચે કર્ણાટક ચૂંટણી પર પ્રતિક્રિયા આપતા બાબા રામદેવે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દેશના રાજકારણને નવી દિશા આપશે. કર્ણાટક ચૂંટણીના વિજેતાની પાસે 2019 લોકસભા ચૂંટણી જીતવાની ક્ષમતા હશે.

 

 

(9:21 pm IST)