Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના સંક્રમિત : આઇસોલેટ થયા

અખિલેશ યાદવ રવિવારે મહા કુંભ મેળામાં ગયા હતા અને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના આશીર્વાદ લીધા હતા

નવી દિલ્હી :સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના સંક્રમિત થયા છે. તેમણે આ માહિતી ટ્વીટ કરી આપી છે. અખિલેશ યાદવે ટ્વિટ કર્યું હતું કે, 'મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ હમણાં જ પોઝિટીવ આવ્યો છે. મેં મારી જાતને બધાથી દૂર કરી દીધી છે અને ઘરેથી જ સારવાર શરૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં જેઓ મારા સંપર્કમાં આવ્યા છે, તેઓને ખૂબ નમ્ર વિનંતી છે કે તેઓ પણ તેનો ટેસ્ટ કરાવે. 'તેઓને થોડા દિવસો માટે એકાંતમાં રહેવાની વિનંતી પણ કરવામાં આવી છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ રવિવારે મહા કુંભ મેળામાં ગયા હતા. અહીં તેમણે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો આશીર્વાદ લીધા હતા.નરેન્દ્ર ગિરીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તબિયત લથડી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે મળેલી બેઠક દરમિયાન નરેન્દ્ર ગિરીએ અખિલેશને ફૂલોથી હાર પહેરાવી અને શાલ ઓઢાડીને આશીર્વાદ આપ્યા હતા.

(11:02 am IST)