Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ મામલે વિપક્ષ રાજકારણ ખેલી રહયું છે :ભાજપ

મીનાક્ષી લેખીએ કઠુઆ અને ઉન્નાવની સરખામણી આસામના દુષ્કર્મ કેસ સાથે કરી નાખી :મીડિયા ઉપર પણ આરોપ લગાવ્યા

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કઠુઆમાં આઠ વર્ષની બાળકી અને ઉન્નાવમાં યુવતીની સાથે ગેંગરેપ કેસ મામલે મીડિયા પર ગેર વ્યાજબી રિપોર્ટિંગનો આરોપ મુકવાની સાથે કઠુઆ કેસમાં કૉંગ્રેસને  આડે હાથ લીધી છે. એટલું નહીં ભાજપે અસમમાં એક બાળકી પર દુષ્કર્મના મામલાને ઉઠાવ્યો અને બંને મામલા સાથે તેની સરખામણી કરી છે. ભાજપે ઉન્નાવ કેસમાં પોતાના ધારાસભ્યને એક વખત ફરીથી દોષિત માનતા તેને ખાનગી મામલો ગણાવાની કોશિષ કરી છે.

ભાજપની તરફથી મીનાક્ષી લેખીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે કઠુઆ પર જમ્મુ-કાશ્મીરના ભાજપ યુનિટે એક એપ્રિલના રોજ નિવેદન રજૂ કરીને ગુનેગારો પર કાર્યવાહી કરવાની વાત કહી, પરંતુ મીડિયાએ તેને દેખાડી નથી. મીનાક્ષી લેખીએ કહ્યું કે 12 એપ્રિલના રોજ અમારી પાર્ટીના ઉપવાસ દરમ્યાન મીડિયા અમને કઠુઆ અને ઉન્નાવ અંગે સવાલ પૂછી રહ્યું હતું.

મીનાક્ષી લેખી વાતો પર પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતાં કહ્યું કે કઠુઆ અને ઉન્નાવ મામલાની સરખામણી અસમના એક દુષ્કર્મના કેસ સાથે કરી નાંખી. મીનાક્ષીએ કહ્યું કે ઉન્નાવવાળો કેસ 10 મહિના જૂનો છે, કઠુઆનો કેસ જાન્યુઆરીનો છે પરંતુ એપ્રિલમાં અસમમાં પણ એક કેસ હતો. મીનાક્ષીએ કહ્યું કે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી 12 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ થયું હતું, તેને કેરોસીન નાંખી સળગાવી દીધી. ઘટનામાં સામેલ 21 વર્ષનો જાકિર હુસૈન હતો.

મીનાક્ષી લેખીએ કહ્યું કે કેટલાંક લોકો વિષય પર ચુપ છે જ્યારે બાકી વિષયોને ઉછાળી રહ્યાં છે. તેમણે કહ્યું કે ભાજપ ઇચ્છતી નહોતી કે વિષયો પર રાજકારણ થાય. મીનાક્ષી લેખીએ કહ્યું કે દેશમાં એક અલગ રીતનું વાતાવરણ બનાવાની કોશિષ છે. ગુનેગારોને લઇ કેટલાંક તથ્ય પ્રસ્તુત કરવા માંગું છું. તેમણે કહ્યું કે કઠુઆ કેસની યોગ્ય તપાસ થઇ છે. કેસ તરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો. 6-7 લોકોની ધરપકડ કરી લેવાઈ છે. એસઆઇટીની રચના પણ કરાઇ છે.

મીનાક્ષી લેખીએ જમ્મુ બાર એસોસીએશનના પ્રેસિડન્ટ સલાથિયાના બહાને મામલાાં કોંગ્રેસને પણ ઢસડી હતી. તેમણ કહ્યું હતું કે, એક બાજુ બાર એસોસીએશનને પ્રેસિડન્ટ સલાથિયા કહી રહ્યાં છે કે તેઓ ન્યાય માંગે છે અને બીજી બાજુ હાઇકોર્ટને બંધ કરવાની જાહેરાત કરી છે. સલાથિયા ગુલામ નબી આઝાદના પોલિંગ એજન્ટ હતા. તેમણે કહ્યું કે હવે તમે જોઈ લો, કેવી રાજકારણ થઇ રહ્યું છે.

મીનાક્ષી લેખી ઉન્નાવ ગેંગરેપ કેસ પર પણ બોલ્યા. કેસમાં ગેંગરેપનો આરોપ ભાજપ ધારાસભ્ય પર છે. જો કે મીનાક્ષી લેખીએ પોતાના ધારાસભ્યની ભૂલની જગ્યાએ તેને અંગત અદાવત ગણાવાની કોશિષ કરી. મીનાક્ષી લેખીએ કહ્યું કે ઉન્નાવવાળા વિષય પર ડેટ લાઇન આપવા માંગું છું. ઘટના અંદાજે 10 મહિના પહેલાંની છે. 11 જૂન 2017ના રોજ પીડિતા ગાયબ થઇ હતી. પીડિતાના પરિવારે શુભમ અને અવધેશ નામના બે લોકો પર કેસ કર્યો. 21 જૂનના રોજ પાછા ફર્યા. 22 જૂનના રોજ પોલીસે તેમનું નિવેદન મેજીસ્ટ્રેસની સામે કરાવ્યા. તેમણે કેટલાંક લોકોનું નામ લીધું પરંતુ ધારાસભ્યોનું નામ નહોતું લીધું.

(12:00 am IST)