Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

દેશના વડાપ્રધાન માટે શિક્ષિત હોવું જરૂરી છે કારણ કે ઓછા ભણેલા વડાપ્રધાનને કોઈ પણ મૂર્ખ બનાવી શકે: કેજરીવાલ

ભોપાલમાં ભેલના દશેરા મેદાન ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનને સંબોધતા કેજરીવાલે કહ્યું કે મારા બે શાનદાર મંત્રીઓની ધરપકડ કરાઈ છે

નવી દિલ્હી :દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી પર તેમના બે સાથીદારોને જેલમાં ધકેલી દેવા અને નોટબંધી માટે પર કટાક્ષ કરતાં મંગળવારે કહ્યું કે દેશના વડાપ્રધાન માટે શિક્ષિત હોવું જરૂરી છે કારણ કે ઓછા ભણેલા વડાપ્રધાનને કોઈ પણ મૂર્ખ બનાવી શકે છે.

 ભોપાલમાં ભેલના દશેરા મેદાન ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનને સંબોધતા કેજરીવાલે કહ્યું કે મારા બે શાનદાર મંત્રીઓની ધરપકડ કરવામાં આવી. એક સતેન્દ્ર જૈન છે જેમણે દિલ્હીની વીજળી મફત કરી, સારવાર, દવાઓ મફત કરી અને મોહલ્લા ક્લિનિક બનાવ્યા. વડાપ્રધાને તેમને જેલમાં ધકેલી દીધા છે .

(8:42 pm IST)