Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ગેરકાયદે પ્રવેશને કારણે અમેરિકાની જેલમાં 2,382 ભારતીય લોકો બંધ :પંજાબીઓની સંખ્યા સૌથી વધુ

ભારતમાં હિંસામાંથી પસાર થયા છે કે સત્તામણીનો શિકાર થયાનો દાવો

વોશિંગટનઃ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાના મામલામાં આશરે 2400 ભારતીયો અમેરિકાની વિભિન્ન જેલોમાં બંધ છે. હાલમાં જાહેર થયેલા આંકડા મુજબ જેલમાં બંધ ભારતીયોમાં પંજાબીઓની સંખ્યા સૌથી વધુ છે.

   આ જેલમાં બંધ લોકોનો દાવો છે કે, તે ભારતમાં હિંસામાંથી પસાર થયા છે કે સત્તામણીનો શિકાર થયા છે. સૂચનાના અધિકાર હેઠળ અમેરિકન પંજાબી એસોસિએશન (નાપા)ને જે સૂચના મળી છે તે અનુસાર 2382 ભારતીયો 86 અમેરિકી જેલોમાં બંધ છે.

  ગત 10 ઓક્ટોબર સુધીના આંકડા પ્રમાણે 377 ભારતીય નાગરિક કેલિફોર્મિયાની એડેલાન્ટો ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ સેન્ટરમાં કસ્ટડીમાં છે જ્યારે 269 ઇમ્પીરિયલ રિઝનલ એડલ્ટ ડિન્ટેશન ફેસેલિટીમાં અને 245 ફેડરલ કરેક્શનલ ઇન્ડસ્ટિટ્યૂશન વિક્ટરવિલેમાં કસ્ટડીમાં છે

  . નાપાના અધ્યક્ષ સતમાન એસ. ચહલે જણાવ્યું કે, સંઘીય જેલોમાં બંધ રહેલા વધુ લોકો શરણ માંગી રહ્યાં છે કે તેણે પોતાના દેશમાં હિંસા કે સત્તામણીનો સામનો કર્યો છે. 

 

 

(9:47 am IST)