Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

અયોધ્‍યામાં ફરી એકવાર ત્રેતા યુગ જેવો ઉત્‍સવ જોવા મળે તેવા સંજોગો સર્જાય રહ્યા છે : મુખ્‍ય પુજારી

નવી દિલ્‍હી  :  રામ જન્મભૂમિ મામલાની સુનાવણી હવે તેના અંતિમ ચરણમાં છે. વર્ષો જૂના આ મામલામાં SC હવે તેને પતાવાના મૂડમાં છે. રોજ આ કેસના મામલે સુનાવણી સરૂ કરી કોર્ટે તેની મંશા જાહેર કરી દીધી હતી. 17 ઓક્ટોબર સુધીમાં રામ જન્મભૂમિ અને બાબરીના મામલાની સુનાવણી માટેની ડેડલાઈન આપી હતી, જેમાં હવે માત્ર 6 દિવસનો સમય જ બાકી છે.

એવામાં રામલાલાના મુખ્ય પૂજારીએ કહ્યું છે કે, આવનારો સમય ઘણો ખાસ છે. આ વર્ષે અદાલત જે નિર્ણય સંભાવશે તો બીજીવાર દિવાળી ભગવાન રામ લલાના આંગણે ધામધૂમથી ઉજવવામાં આવશે. ભગવાન રામના લંકા વિજય પછી અયોધ્યા પરત ફર્યા પછી જે ત્રેતા યુગમાં ઉત્સવ ઉજવાયો હતો તેવી જ રીતે ફરી એકવાર ઉજવણી કરવામાં આવશે.

(2:10 pm IST)