Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

તેલંગણા ભાજપના ધારાસભ્યનું રાજીનામુ :ગૌહત્યા મામલે પાર્ટી નિષ્ક્રિય હોવાનો આરોપ:હવે સડક પર આંદોલન કરશે

તેલંગાણામાં ભાજપના ધારાસભ્ય રાજાસિંહે રાજીનામું  આપ્યુ છે. રાજાસિંહનો આરોપ છે કે, ગોરક્ષા મામલે ભાજપ મદદ નથી કરી રહી. વિધાનસભામાં અનેકવાર ગૌરક્ષાનો મુદો ઉઠાવવામાં આવ્યો હોવા છતા પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારનો સહયોગ આપવામાં  આવ્યો નથી.

   રાજાસિંહે કહ્યુ કે, હવે ગૌહત્યાને રોકવા માટે  સડક પર આંદોલન કરવામાં આવશે. અમારી ગૌરક્ષક ટીમ સડક પર ઉતરશે અને રાજ્યમાં ગોહત્યા પર રોક લગાવશે.

  રાજાસિંહે પોતાનું રાજીનામુ તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષને મોકલી આપ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજાસિંહ પર ધાર્મિક ભાવના ભડકાવવા અને વિવાદિત નિવેદન આપવાના અનેક કેસ દાખલ કરવામાં  આવ્યા છે.  એક નિવેદનમાં રાજાસિંહે કહ્યુ હતુ કે, ગૌરક્ષા માટે  જીવ આપવા અને જીવ લેવા પણ તૈયાર છુ.

(1:42 pm IST)