Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

પોલીસ ગૌહત્યા રોકવામાં નિષ્ફ્ળ :ગૌહત્યા કરનાર વિરુદ્ધ અટકાવવા કડક કાયદો બનાવો જોઈએ :બાબા રામદેવ

કેટલાક ગૌરક્ષકોના કારણે અન્ય ગૌરક્ષકોનું નામ બદનામ:ગૌહત્યાના વિરોધમાં કોઈ અવાજ નથી ઉઠાવતુ. જેના કારણે ગૌહત્યાને પ્રોત્સાહન મળે છે

નવી દિલ્હી :યોગ ગુરૂ બાબા રામદેવે જણાવ્યુ કે,ગૌતસ્કરીને રોકવા માટે કોઈને કોઈ આગળ આવી રહ્યુ છે. જ્યારે પોલીસ ગૌતસ્કરી રોકવામાં નિષ્ફળ ગઈ છે એટલે ગૌરક્ષક સડક પર ઉતરી આવે છે. બાબા રામદેવે ગૌહત્યા કરનારા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

  બાબા રામદેવે જણાવ્યુ કે, કેટલાક ગૌરક્ષકોના કારણે અન્ય ગૌરક્ષકોનું નામ બદનામ થાય છે. ગૌહત્યાના વિરોધમાં કોઈ અવાજ નથી ઉઠાવતુ. જેના કારણે ગૌહત્યાને પ્રોત્સાહન મળી રહ્યું છે. દેશમાં ગૌહત્યાને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ.  જેથી ગાયમાતાને કતલ ખાને જતી રોકી શકાય.

(1:37 pm IST)