Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ચિંતન શિબિરમાં મહત્વના નિર્ણયો

મુસ્લિમ વિસ્તારોમાં શાખાઓ શરૂ કરશે સંઘ

નવી દિલ્હી, તા.૧૩: ચિત્રકુટમાં ચાલી રહેલી આરએસએસની ચિંતન શિબિરની પાંચ દિવસ બાદ સમાપ્તિ થઈ છે.

આ દરમિયાન સંગઠનને મજબૂત કરવા માટે મહત્વના નિર્ણયો લેવાની સાથે સાથે રાજનીતિ પર પણ ચર્ચા થઈ હતી.આ દરમિયાન આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે  પશ્યિમ બંગાળને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે.જે પ્રમાણે બંગાળને કોલકાતા, મધ્ય બંગાળ અને ઉત્ત્।ર બંગાળમાં વહેંચવામાં આવ્યુ છે. પ્રાન્ત  પ્રચારકોને તેમની જવાબદારી સમજાવવામાં આવી છે અને અલગ અલગ રાજયોના પ્રાંત પ્રચારકોમાં પણ ફેરબદલ કરવામાં આવી છે.ઉપરાંત ક્ષેત્ર પ્રચારક પ્રદીપ જોષીને અખિલ ભારતીય સહ સંપર્ક પ્રમુખની જવાબદારી અપાઈ છે.ભૈયાજી જોષી હવે સંદ્ય તરફથી વિશ્વ હિન્દુ પરિષદ સાથેના સંપર્ક અધિકારી હશે.જયારે ડો.કૃષ્ણ ગોપાલને વિદ્યા ભારતીના સંપર્ક અધિકારી બનાવાયા છે.સર કાર્યવાહ અરુણ કુમાર સંદ્ય અને ભાજપ વચ્ચે કો ઓર્ડિનેટરનુ કામ કરશે. સાથે સાથે આ શિબિરમાં આરએસએસના બંધ પડેલા કાર્યક્રમો તેમજ સંદ્યની શાખાઓને ફરી શરુ કરવાનુ એલાન કરાયુ છે.હવે સંદ્ય દ્વારા દેશભરમાં મુસ્લિમ વિસ્તારોમાં શાખા શરુ કરવામાં આવશે.મુસ્લિમોને સંદ્ય સાથે જોડવાના પ્રયાસો તેજ કરવામાં આવશે. સંદ્ય દ્વારા સોશિયલ મીડિયા પર લોકો સુધી વાત પહોંચાડવા માટે આઈટી સેલ સ્થાપવાની વાત પહેલા જ કરવામાં આવી છે.સંદ્યના કાર્યકરોને પણ સોશિયલ મીડિયામાં સક્રિય થવા માટે જણાવાયુ છે.

(3:51 pm IST)