Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

દેશમાં ધૂળની આંધી અને ભારે વરસાદથી 21 લોકોના મોત

બિહારમાં ચાર અને યુપીમાં 17ના મોત :દિલ્હીમાં ધૂળની આંધી ફૂંકાઈ : 27 ફ્લાઇટો ડાયવર્ટ

નવી દિલ્હી : દેશમાં બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં ઘૂળની આંધી અને મુશળધાર વરસાદથી  21 લોકોના મોત નિપજ્યા છે જેમાં  બિહારના નાલંદામાં ચાર લોકોના મોત થયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 17 લોકોના મોત થયા છે

  ઉત્તરપ્રદેશમાં પણ આંધી અને વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં 17 લોકોનાં મોત થયા છે. દિલ્હીમાં પણ અચાનક ધૂળની આંધી ઉડી હતી. જેને કારણે દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રહેલી 27 ઉડાનો ડાયવર્ટ કરાઈ હતી. તો ઘણા વિમાન ઉડાન ભરી શક્યા નહીં. ફ્લાઈટ ઓપરેશન્સ લગભગ 25 મિનિટ સુધી પ્રભાવિત રહ્યું હતું. ત્યાર બાદ સ્થિતિ સામાન્ય થતાં ઉડાન શરૂ કરા હતી.

(12:02 pm IST)