Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

પંજાબ કોંગ્રેસમાં જુથવાદ શાંત પડતો નથીઃ નવજોતસિંહ સિધ્ધુના મુદ્દે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઉપર અસંતુષ્ઠોના પ્રહારો

નવી દિલ્હી તા. ૧૩ :.. પંજાબમાં કોગ્રેસનો જુથવાદ શાંત થવાના બદલે વિવાદ વધતો જાય છે. નવજોતસિંહ સિધ્ધુના મુદ્દે અનેક અસંતુષ્ઠોએ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ ઉપર અનેક રીતે પ્રહારો કર્યા છે જેમાં અડધો ડઝનથી વધુ મંત્રીઓએ મોરચો માંડયો છે. અને સિધ્ધુ સામે કોગ્રેસ હાઇકમાન્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઇ છે.

આ અગાઉ કેપ્ટન અમરિંદર સરકારના ત્રણ કેબિનેટ મંત્રીઓએ પણ નવજાતસિંહ સિધ્ધુ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

નવજાતસિંહ સિધ્ધુ દ્વારા કેપ્ટન અમરિંદરસિંહ ઉપર વારંવાર પ્રહારો કરવામાં આવે છે તેની સામે રોષ ફેલાયો છે.

(5:03 pm IST)