Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોના વાયરસઃ ૧૭ હજાર કેદિયોને અસ્થાયી રીતે મુકત કરશે મહારાષ્ટ્ર સરકાર

મુંબઇઃ દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજય મહારાષ્ટ્રની સરકારએ રાજયની જેલોમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ૧૭ હજાર કેદિયોને અસ્થાયી રીતે મુકત કરવા નિર્ણય લીધો છે. રાજયના ગૃહમંત્રી અનિલ દેશમુખએ જાણકારી આપી કહ્યું કે આમાંથી પાંચ હજાર વિચારાધીન કેદિયોને પહેલાજ મુકત કરી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારએ નિર્ણય મુંબઇના ઓર્થર રોડ જેલમાં ૧૮પ કેદિયોને જાનલેવા મહામારીથી સંક્રમિત મળ્યાની ઘટનાને જોતાં લીધો છે. રાજય સરકારએ રાજયની જેલોમાં કેદ ૩પ હજાર કેદિયોમાંથી ૧૭ હજારને પેરોલ પર મુકત કરવાનો નિર્ણય લીધો છે.

(9:41 am IST)