Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ર૦૧૯માં ભગવાન વિરુધ્ધ ઇસ્લામનો ચૂંટણી જંગ

વિપક્ષના આકાઓ ઇસ્લામમાં અને ઇટાલીમાં બેઠા છેઃ વિવાદી નિવેદનો સુરેન્દ્રસિંહ બેફામઃ રાહુલ ગાંધીને રાજનૈતિક જર્સી ગાયનો વાછડો કહ્યો...: ભાજપના નેતા સુરેન્દ્રસિંહનું વિસ્ફોટક નિવેદનઃ ભગવાનનો વિજય થશે

નવી દિલ્હી તા. ૧૩ :.. ચારે બાજૂથી ભીંસ અનુભવી રહેલા ભાજપના નેતાઓ વિસ્ફોટક નિવેદનોથી દૂર જતા નથી. બલિયાના ભાજપી ધારાસભ્ય સુરેન્દ્રસિંહ નિવેદન આપ્યું છે કે, ર૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણી ભગવાન વિરુધ્ધ ઇસ્લામનો જંગ હશે. આ ચૂંટણી ભારત વિરુધ્ધ પાકિસ્તાન જેવી બનશે.

સુરેન્દ્રસિંહ કહે છે કે, વિપક્ષ રાષ્ટ્ર વિરોધી છે. વિપક્ષના આકાઓ ઇસ્લામમાં બેઠા છે, અમૂકના આકા ઇટાલીમાં રહે છે. ભગવાન વિરુધ્ધ ઇસ્લામ જંગમાં ભારતીયો ભગવાનને જીતાડશે.

સુરેન્દ્રસિંહ અતિ વિવાદી નિવેદનો આપવાના માહેર છે. તેઓએ રાહુલ ગાંધી પર મર્યાદા મૂકીને ટિપ્પણી કરી હતી કે, રાહુલ રાજનૈતિક જર્સી ગાયનું વાછડું છે...! તેમનું અફેર ઇટાલીમાં ચાલે છે.

(11:58 am IST)