Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સુનંદા પુષ્કરના મોતમાં નવો વળાંક : તપાસમાં મોતનું કારણ હત્યા બહાર આવ્યુ

નવી દિલ્હીઃ સુનંદા પુષ્કરે આત્મહત્યા નહીં પરંતુ તેમની હત્યા થઈ હતી. દિલ્હી પોલીસના સાઉથ ડિસ્ટ્રિકટના તત્કાલિન DCP બી. એસ ભોલાએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે, સુનંદાનું મોત સ્વભાવિક ન હતું પરંતુ તેની હત્યા થઈ હતી. તત્કાલિન ઝ્રઘ્ભ્હ્ય્ પોસ્ટમોર્ટમ રિપોર્ટનો હવાલો આપતાં કહ્યું કે સુનંદાના શરીર પર દાંતના નિશાન, ઈંજેકશનના દ્યા તેમજ મારમારી દરમિયાન શરીર પર જોવા મળતા નિશાન હતા. ત્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતનું રહસ્ય વધુ ગુંચવાયું છે. વર્ષ ૨૦૧૦માં પૂર્વ કેન્દ્રિય મંત્રી શશિ થરૂર સાથે લગ્ન કરનારી સુનંદા પુષ્કરની ડેડબોડી દિલ્હીની લીલા પેલેસ હોટલમાંથી ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ રહસ્યમયી હાલતમાં મળી હતી.

ઓટોપ્સી રિપોર્ટમાં ખ્યાલ આવ્યો છે કે ૫૨ વર્ષની સુનંદાનું મોત શરીરમાં ઝેરીલા પદાર્થ પહોંચાડવાને કારણે થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સુનંદાને અલ્પ્રાઝોલામ ઝેર અપાયું હતું.(૩૭.૧૫)

(3:34 pm IST)