Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

બીજા તબક્કાના મતદાનમાં ક્યાં મોટા રાજકીય નેતા અને વીવીઆઇપીઓ ક્યાં કરશે મતદાન

નરેન્દ્રભાઈ રાણીપમાં નિશાન વિધાલયમાં કરશે મતદાન :અડવાણી ખાનપુરની શાહપુર સ્કૂલમાં,અમિતભાઇ શાહ નારણપુરા સબ ઝોનલ ઓફિસમાં અને અરુણ જેટલી ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટયૂમ કરશે વોટિંગ : ભરતસિંહ સોલંકી બોરસદથી,સિધાર્થ પટેલ ડભોઇથી,શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરથી અને વિરોધપક્ષના નેતા મોહનસિંહ રાઠવા છોટાઉદેપુરથી કરશે મતદાન

આગામી 14મી તારીખે બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યુ છે ત્યારે બીજા તબક્કામાં ઘણા મોટા રાજકીય નેતાઓ અને વીવીઆઇપી મતદારો વોટિંગ કરશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મતદાન કરશે.

ક્યા-ક્યા વીવીઆઇપી મતદારો મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન વિદ્યાલયમાં મતદાન કરવા જશે. તો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ખાનપુર વિસ્તારમાં આવેલી શાહપુર હિન્દી સ્કુલમાં મતદાન કરવા જશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારણપુરા સ્થિત નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે મતદાન કરશે. તો અરૂણ જેટલી ગાંધીનગર સરખેજ હાઇવે પર આવેલા ચીમનભાઇ પટેલ ઇન્સ્ટીટયૂટ પર મતદાન કરવા જશે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી બોરસદથી,સિધાર્થ પટેલ ડભોઇથી,શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરથી અને વિરોધપક્ષના નેતા મોહનસિંહ રાઠવા છોટાઉદેપુરથી મતદાનકરશે 

(12:25 am IST)