Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ભારત અને પાકિસ્તાનના જવાનોના માથા વાઢો

ઇસ્લામિક સ્ટેટનો કાશ્મીર મામલે ચંચુપાતઃ કાશ્મીરી મુસ્લિમોને ભડકાવતુ નિવેદન કર્યુ

નવી દિલ્હી તા.૧ર : ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે કાશ્મીરી મુસ્લિમોને ભડકાવતા એક નવી અપીલ કરી છે. તેણે એ રાજયના મુસ્લિમોને ખલીફાના નેતૃત્વમાં પોતાની લડાઇ લડવા કહ્યુ છે. અતિક્રુર આ ત્રાસવાદીઓના સંગઠને લડાઇના રસ્તામાં આડે આવતા ભારત અને પાકિસ્તાનના જવાનોના માથા વાઢવાની પણ અપીલ કરી છે.

 

આ બારામાં ઇસ્લામિક સ્ટેટના મેગેઝીને રૂમીયામાં એક લેખ લખાયો છે. ઉર્દુમાં છપાયેલા આ લેખને કાશ્મીરીઓ માટે અનુવાદીત કરી ટેલીગ્રામ પોસ્ટ કરવામાં આવેલ છે. ૧લી ડિસેમ્બરના રોજ આ ટેલીગ્રામ પોસ્ટમાં કાશ્મીરી મુસ્લિમોને ભારતીય ગુપ્તચર એજન્સી રો કે પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇના જાસુસોના હાથે મુર્ખ બનતા બચજો તેવુ જણાવાયુ છે.

 

ઇસ્લામિક સ્ટેટે કહ્યુ છે કે, જો જાસુસ મુસ્લિમ હોય તો પણ એવા લોકોના માથા વાઢી નાંખો. લેખમાં કાશ્મીરીઓને લોકતંત્ર સ્વીકાર કરવા અને આઇએસ નેતા અબુ બકર બગદાદી પ્રત્યે વફાદાર રહેવા જણાવાયુ છે. કાશ્મીરીઓને ભડકાવતા લેખમાં લખાયુ છે કે, ૧૯૪૭માં ભાગલા બાદથી ભારત અને પાકિસ્તાન બંને છેતરે છે.  કાશ્મીરીઓને સેના વિરૂધ્ધ લડવા આમને-સામને લડાઇમાં જવાનોના માથા વાઢવા, આત્મઘાતી હુમલાઓમાં તેઓને મારવા જેવી હિંસક અપીલ કરવામાં આવી છે.(૩-૬)

(3:46 pm IST)