Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ગાંધી જયંતિ પર ભજન ગાઇને બીજેપીને સન્મતિ આપવાની પ્રાર્થના કરશે સપા

        સપાના રાષ્ટ્રીય પ્રવકતા રાજેન્દ્ર ચૌધરીએ  ગુરુવારના જણાવ્યુ છે કે પાર્ટી મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિના અવસર પર ભજન-ગાયનનું આયોજન કરશે જેમાં બીજેપીને  સંન્મતિ આપવાની પ્રાર્થના કરવામાં આવશે.

         ચૌધરીએ કહ્યું આ સમયે દેશમાં નફરતની રાજનીતિથી સામાજીક તાણાવાણા વિખરાઇ રહ્યા છે સમાજનો દરેક વર્ગ સરકારની વિભાજનકારી નિતિઓથી ત્રસ્ત છે.

         આ આયોજનમાં પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ સામેલ થશે.

(1:06 am IST)