Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મંદીમાંથી બહાર નીકળવા

મનમોહને સરકારને આપી પાંચ ટીપ

નવી દિલ્હી, તા.૧૨: દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહએ મોદી સરકાર ને અનેક મહત્વપૂર્ણ સલાહ આપી છે. અખબાર દૈનિક ભાસ્કરને આપેલા વિશેષ ઇન્ટરવ્યૂમાં મનમોહન સિંહે કહ્યું કે, સરકારને નોકરીઓ આપનારા સેકટર્સને મજબૂત કરવા જોઈએ. સાથોસાથ, તેમનું માનવું છે કે, દેશ આર્થિક સુસ્તીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તે સ્ટ્રકચરલ અને સાઇકિલક બંને છે.

મનમોહન સિંહ કહ્યું છે કે, પહેલું પગલું એ છે કે સ્વીકારવું જોઈએ કે આપણે સંકટનો સામનો કરી રહ્યા છીએ. સરકારે એકસપર્ટ્સ અને તમામ સ્ટોકહોલ્ડર્સની વાતો ખૂલ્લા મનથી સાંભળવી જોઈએ. સેકટર મુજબ જાહેરાતો કરવાને બદલે હવે સરકાર સમગ્ર આર્થિક માળઆને એક સાથે આગળ ધપાવવા પર કામ કરે. મનમોહન સિંહે આર્થિક સ્થિતિ સુધારવા માટે આ પાંચ પગલાં ઉઠાવવાની સલાહ આપી છે.

મનમોહન સિંહે સલાહ આપતાં કહ્યું છે કે, જીએસટીને તર્કસંગત કરવો પડશે, ભલે થોડા સમય માટે ટેકસમાં નુકસાન થાય. ગ્રામીણ વપરાશ વધારવા અને કૃષિને ફરી બેઠી કરવા માટે નવી પદ્ઘતિ શોધવી પડશે. કોંગ્રેસના દ્યોષણા-પત્રમાં મજબૂત વિકલ્પ છે, જેમાં કૃષિ બજારોને ફ્રી કરીને લોકોને પૈસા પરત કરી શકાય છે.

મૂડી નિર્માણ માટે લોનની દ્યટ દૂર કરવી જોઈએ. માત્ર સાર્વજનિક ક્ષેત્રની બેંક નહીં, પરંતુ એનબીએફસી સાથે પણ ઠગાઈ થાય છે. કાપડ, ઓટો, ઇલેકટ્રોનિકસ અને સસ્તા મકાનો જેવા મુખ્ય નોકરી આપનારા ક્ષેત્રોને પુનજીર્વિત કરવા પડશે. તેના માટે સરળ લોન આપવી પડશે. ખાસ કરીને એમએસએમઈ માટે મોટા પગલાં ભરવા પડશે.

 આપણે અમેરિકા-ચીનમાં ચાલી રહેલા ટ્રેડવોરના કારણે ખૂલી રહેલા નવા નિકાસ બજારોને ઓળખવા પડશે. યાદ રાખવું જોઈએ કે સાઇકિલક અને સ્ટ્રકચરલ બંને સમસ્યાઓનું સમાધાન જરૂરી છે. તો જ ૩-૪ વર્ષમાં ઉચ્ચ વિકાસ દરને પરત મેળવી શકાય છે.

મનમોહન સિંહનું એવું પણ માનવું છે કે, ભારત ખૂબ ચિંતાજનક આર્થિક મંદીમાં છે. છેલ્લા કવાર્ટરની ૫ ટકા જીડીપી વિકાસ દર ૬ વર્ષમાં સૌથી ઓછો છે.

 નોમિનલ જીડીપી ગ્રોથ પણ ૧૫ વર્ષના નીચલા સ્તરે છે. અર્થવ્યવસ્થાના અનેક પ્રમુખ ક્ષેત્રો પ્રભાવિત થયા છે. તેની સાથે જ ઓટોમોટિવ સેકટરના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે.

 સાડા ત્રણ લાખથી વધુ નોકરીઓ જઈ ચૂકી છે. રિયલ એસ્ટેટ સેકટર સારું પ્રદર્શન નથી કરી રહ્યું, જેના કારણે ઈંટ, સ્ટીલ તથા ઇલેકિટ્રકલ્સ જેવા સંબંદ્ઘ ઉદ્યોગ પણ પ્રભાવિત થઈ રહ્યા છે.

 કોલસો, કાચું તેલ અને પ્રાકૃતિક ગેસના ઉત્પાદનમાં ઘટાડા બાદ કોર સેકટર ધીમું થઈ ગયું છે. ગ્રામીણ અર્થવયવસ્થા પાકની અર્પાપ્ત કિંમતોથી ગ્રસ્ત છે. ૨૦૧૭-૧૮જ્રાક્નત્ન બેરોજગારી ૪૫ વર્ષના ઉચ્ચ રસ્ત પર રહી.

(3:48 pm IST)