Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સૌથી વધુ પર્યટકો માટે

પંજાબનું વિરાસત-એ-ખાલસા મ્યુઝિયમ એશિયા બુક ઓફ રેકોડર્સમાં નોંધાયું

અમૃતસર તા. ૧ર :.. પંજાબના આનંદપુરસાહિબમાં આવેલું અજાયબ ઘર વિરાસત-એ-ખાલસાનું નામ એશિયા બુક ઓફ રેકોડર્સમાં નોંધાયું છે. આ વાતની પુષ્ટિ પંજાબના પર્યટન પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ પણ કરી હતી. આ રેકોર્ડ મુજબ આખા એશિયામાં વિરાસત-એ-ખાલસા એક મત્ર અજાયબ ઘર છે જયાં એક દિવસમાં સૌથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ર૦૧૯ ની ર૦ માર્ચે અહીં ર૦,પ૬૯ લોકોએ હાજરી આપી હતી.

 

વિરાસત-એ-ખાલસાનો આ ત્રીજો રેકોર્ડ છે. આ પહેલાં ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ભારતના સૌથી વધુ જોવાયેલા મ્યુઝિયમ માટે લિમ્કા બુક ઓફ રેકોડર્સમાં સ્થાન મળ્યું હતું. ૧૯૯૮ ની બાવીસ નવેમ્બરે આ જગ્યાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અને ર૦૦૬ માં એ પબ્લીક માટે ખુલ્લું મુકાયું હતું. છેલ્લા ૭.પ વર્ષમાં એક કરોડથી વધુ સહેલાણીઓએ આ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. પંજાબ અને સિખોના અતુલ્ય ઇતિહાસ અને સંસ્કૃતિની યાદગીરી રૂપે આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.

(11:41 am IST)