Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ભારતીય રેલવે મંત્રાલયનો સપાટો : એક જ દિવસમાં 19 ઊચ્ચ કક્ષાના કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા

આ કર્મચારીઓ કામ કરતા ન હતા અને કામ થવા પણ દેતા ન હતા. માટે રેલવે મંત્રાલયે કડક પગલાં લઈને તેમને ઘરે બેસાડી દીધા

નવી દિલ્હી :  ભારતીય રેલવે મંત્રાલયે આવા ડાંડ 19 ઊચ્ચ કક્ષાના કર્મચારીઓને એક જ દિવસમાં ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે.

  આ કર્મચારીઓ કામ કરતા ન હતા અને કામ થવા પણ દેતા ન હતા. માટે રેલવે મંત્રાલયે કડક પગલાં લઈને તેમને ઘરે બેસાડી દીધા છે. રેલવે તંત્ર બહુ મોટું છે અને થોડા કર્મચારીઓની ખોટી દાનતને કારણે આખુ તંત્ર બગડે છે. જે કર્મચારીઓને ફરજ પડાઈ એ જનરલ મેનેજર કે પછી સેક્રેટરી કક્ષાના અધિકારીઓ હતા. કર્મચારીઓ જ કામ ન કરે તો પોતાના હાથ નીચેના કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામ લઈ શકે? માટે રેલવે મંત્રાલયે છેલ્લા 11 મહિનામાં 100 જેટલા અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે. ફન્ડામેન્ટલ રૃલ્સની કલમ 56-જે મુજબ સરકાર નકામા કર્મચારીઓ સામે આવી કાર્યવાહી કરી શકે છે.

(12:45 am IST)