Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ચાર ધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા : સર્જાયો ટ્રાફિક જામ :ગુજરાતી દર્શનાર્થીઓ ફસાયા

. કેદારનાથથી 30 કિલોમીટર પહેલા ટ્રાફિક જામ થયો; 5 થી 6 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં અનેક ગુજરાતી દર્શનાર્થીઓ ફસાયા

કેદારનાથમાં પણ મોટા પ્રમાણમાં ગુજરાતી દર્શનાર્થીઓ ફસાયા છે. કેદારનાથથી 30 કિલોમીટર પહેલા ટ્રાફિક જામ થયો હતો . 5 થી 6 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં અનેક ગુજરાતી દર્શનાર્થીઓ ફસાયા છે 

કેદારનાથ જતા ટ્રાફિકમાં લોકો ફસાયા છે. કેદારનાથ થી 30 કિલોમીટર પહેલા ટ્રાફિક જામ માં ફસાયા. ગુજરાત થી મોટા પ્રમાણ માં ગયા છે દર્શનાર્થીઓ. 5 થી 6 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ માં ગુજરાતી દર્શનાર્થીઓ ફસાયા છે. છેલ્લા 2 કલાક થી ટ્રાફિક હળવો થાય તેની દર્શનાર્થીઓ રાહ જોઈ રહ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષના કોવિડ અંતરાલ બાદ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે આ સીઝનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જો કે, આ સ્થાનિક વ્યવસાયો માટે સારા સમાચાર છે, પરંતુ વહીવટતંત્રને વ્યવસ્થા જાળવી રાખવા બાબતે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્યારસુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચાર ધામ- કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીના દર્શન કરી ચૂક્યા છે. 3 મેએ યાત્રા શરુ થવાના પહેલા, લગભગ ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પૂર્વશરત તરીકે રાજ્યની પ્રવાસન વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે, સ્થાનિક લોકોનું કહેવું છે કે હજારો અન્ય યાત્રાળુઓ કોઇપણ રજિસ્ટ્રેશન વગર મંદિરોમાં પ્રવેશ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા કેદારનાથના ફોટોઝ અને વિડીયોમાં જોવા મળ્યું છે કે કઈ રીતે લોકો હેલીપેડ અને મંદિરની નજીક લગભગ એક કિમી સુધીની લાંબી સર્પાકાર લાઈનોમાં જગ્યા મેળવવા માટે ભારે ધક્કામુક્કી કરી રહ્યા છે

(10:38 pm IST)