Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

નવજોત સિદ્ધુ પર રાહુલ ગાંધીની સંગતની અસર : ગિરિરાજ

રાહુલ ગાંધી ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપે છે

બેગૂસરાય,તા.૧૧ : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને બેગુસરાય સીટ પરથી ચૂંટણી લડી રહેલા ગિરિરાજ સિંહે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ટીપ્પણી કરનાર કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુ પર પ્રહારો કર્યા હતા. ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાં સામેલ થઈ ગયેલા સિદ્ધુ પર હવે રાહુલ ગાંધીને સંગતની અસર દેખાઈ રહી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને તેમની ટીમ મોદીને ગાળો આપવામાં લાગેલી છે. સિદ્ધુ ઉપર પણ હવે અસર દેખાઈ રહી છે. રાહુલ ગાંધી ટૂકડે ટૂકડે ગેંગને સમર્થન આપે છે. જ્યારે સિદ્ધુ પણ દેશ તોડવાના કાવતરામાં સંડોવાયેલા છે. ગિરિરાજે કહ્યું હતું કે, સિદ્ધુ વડાપ્રધાનના રંગને લઈને ટિપ્પણી કરી રહ્યા છે. પરંતુ તેમને આ અંગેની માહિતી નથી કે કોણ કાળા છે અને કોણ ગોળા છે. ઈન્દોરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી ઉપર પ્રહાર કરતા સિદ્ધુએ કહ્યું હતું કે, મોદી એવી વધુ જેવા છે જે રોટલી ઓછી બનાવે છે અને બગળીઓ વધારે વગાડે છે.

(12:00 am IST)