Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

10.000 બ્રિટીશ નાગરીકોને કોરોનાનો ચેપ લાગવાની સંભાવના: મૃત્યુઆંક ૧૦ થયો

યુ.કે.એ જાહેર કર્યું છે કે ઇંગ્લેન્ડમાં ૧૦ હજાર લોકોને કોરોના વાઇરસની અસર થવાની શક્યતા છે. અત્યારે ઇંગ્લેન્ડમાં 590 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને 10ના મોત થયા છે. જેમાં લંડન નજીક વૉટફોર્ડ ખાતે આવેલ ભક્તિવેદાંત મેનોર ખાતે મુળ ભારતીય એવા મનોહર કૃષ્ણ પ્રભુ નામના ૮૦ વર્ષના કૃષ્ણ ભક્તનું કોરોના વાયરસના એટેકમાં મોત થયું છે. તેના પુત્રને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવેલ છે તેઓ સિંધી પરિવારમાંથી આવે છે

(12:37 am IST)