Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ખેડૂત આંદોલન વચ્ચે રાકેશ ટિકૈતે આવશે ગુજરાત : કહ્યું- રાજ્યના લોકો બંધનમાં છે

ટિકૈતે કહ્યું ગુજરાતને કેન્દ્રના શાસનમાંથી મુક્ત કરવામાં ભાગ ભજવીશું

નવી દિલ્હી : ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આજે એક મોટું નિવેદન આપ્યું હતું, આ વખતે તેમણે ગુજરાતને લઈને વિચારો રજૂ કર્યા હતા.

ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આજે એક મોટું નિવેદન આપ્યું હતું, આ વખતે તેમણે ગુજરાતને લઈને વિચારો રજૂ કર્યા હતા.

રાકેશ ટિકૈતે તેમના નિવેદનમાં ગુજરાત આવવાની જાહેરાતન કરી હતી અને કહ્યું હતું કે અમે ખેડૂતોની સમગ્ર દેશમાં માર્ચ કાઢીશું, ગુજરાતને કેન્દ્રના શાસનમાંથી મુક્ત કરવામાં ભાગ ભજવીશું, ગુજરાત માટે તેમણે કહ્યું હતું કે ગુજરાતના લોકો બંધનમાં છે અને જો તે કોઈ આંદોલનમાં જોડાય તો તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે

(7:02 pm IST)