Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સીબીએસઇ દ્વારા ધો. ૯ અને ૧૧ પરીક્ષા આયોજીત કરવા નિર્દેશ

નવી દિલ્હી, તા., ૧૨: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ) દ્વારા ધોરણ ૯ અને ધોરણ ૧૧ની વાર્ષિક પરીક્ષા ઝડપથી આયોજન થઇ શકે છે.

કેન્દ્રીય માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલે એક નિર્દેશ આપ્યો છે કે સ્કુલોમાં ધો.૯ અને ધો.૧૧ની પરીક્ષા આયોજીત કરવામાં આવશે. પરીક્ષા દ્વારા શિક્ષણ કાર્યમાં થયેલ અવરોધ પુરો થશે. શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે શાળા શિક્ષણ કાર્ય માટે તૈયાર છે. રાજય સરકારની મંજુરી બાદ ૧ એપ્રિલથી નવુ શૈક્ષણીક સત્ર શરૂ કરવા ઉપર ભાર મુકયો છે. પરીક્ષા દરમિયાન કોવીડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરવુ અનિવાર્ય રહેશે.

(4:29 pm IST)