Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

' મંદ બુદ્ધિ અને કુંઠિત બુદ્ધિ પપ્પુ ' : વડાપ્રધાન નરેન્દ્રભાઈને કાયર કહેનાર રાહુલ ગાંધી ઉપર ભાજપ આગેવાનોનો શાબ્દિક હુમલો

ન્યુદિલ્હી : ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈને કાયર કહેનાર કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધી ઉપર ગિન્નાયેલા ભાજપ આગેવાનોએ શાબ્દિક હુમલા શરૂ કરી દીધા છે.જે મુજબ કોઈએ તેને મંદ બુદ્ધિ તો કોઈએ તેને કુંઠિત બુદ્ધિ ધરાવતા પપ્પુ તરીકે સંબોધન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ નરેન્દ્રભાઈ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ ચીન સામે છાતી કાઢી વાત પણ કરી શકતા નથી.તેથી તે કાયર છે.જેના પ્રતિભાવ રૂપે રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ રાહુલ ગાંધી ઉપર શાબ્દિક હુમલો કરતા જણાવ્યું હતું કે તમે તમારા દાદા જવાહરલાલ નેહરુને જઈને પૂછો કે તેમણે ભારતની કેટલી જમીન ચીનને આપી દીધી છે.
જયારે ભાજપ આગેવાન આર.કે.સિંહ એ રાહુલમાં ગંભીરતાનો અભાવ હોવાનું જણાવ્યું હતું .તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:37 pm IST)