Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

દિલ્હીમાં ભાજપ કાર્યકર યુવાન ઉપર લાકડી અને ચપ્પુથી હુમલો : રામ મંદિર નિર્માણ માટે ફાળો ઉઘરાવી રહેલા યુવાને દમ તોડ્યો : મંગોલાપુરી વિસ્તારમાં મોડી રાત્રે બનેલી ઘટનાથી વાતાવરણ તંગ : મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત


ન્યુદિલ્હી : દિલ્હીમાં ગઈકાલ બુધવારના રોજ મોડી  રાત્રે ભાજપ કાર્યકર યુવાન ઉપર લાકડી અને ચપ્પુથી હુમલો થતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.આ યુવાન રામ મંદિર નિર્માણ માટે ફાળો ઉઘરાવી રહ્યો હતો ત્યારે હુમલો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આથી મંગોલાપુરી વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે બે કોમ વચ્ચે વાતાવરણ તંગ થયું છે. જેને ધ્યાને લઇ મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરી દેવાયું છે.
મૃતકના પરિવારે જણાવ્યા મુજબ દશેરાના તહેવાર ઉપર રામ મંદિર પાર્કમાં થયેલા ઘર્ષણને ધ્યાનમાં રાખી હુમલો કરાયો છે.પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.

મૃતકની ઓળખ 25 વર્ષીય રીન્કુ શર્મા તરીકે થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:17 pm IST)