Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

નરેન્દ્રભાઈએ દ્વારકાના હરિભાઈ આધુનિકના પરિવારજનોને ટેલીફોનમાં સાંત્વના પાઠવી

(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૨ :. દ્વારકા વિસ્તારના ભાજપના ભિષ્મપિતા હરીભાઈ આધુનીકના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના પાયાના સાથીદાર હરીભાઈ આધુનીક પરિવારના તેમના પુત્ર મુકેશભાઈ સાથે ટેલીફોનિક વાત કરી પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યકત કર્યો હતો.

ત્રણ મીનીટની ટુંકી વાતચીત દરમ્યાન શ્રી મોદીએ હરીભાઈ આધુનીક વિશે વાતચીત કરીને ભારે ભાવુક થઈ ગયા હતા અને પરિવાર સાથે હંમેશા સંપર્કમાં રહીશ તેવુ આશ્વાસન આપ્યુ હતું.

(12:22 pm IST)