Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કાળિયાર કેસમાં ખોટા સાક્ષી અંગે સરકારની રીટ ફગાવાઈ

બોલિવૂડના સ્ટાર સલમાન ખાનને જોધપુર જિલ્લા કોર્ટમાંથી રાહત : આર્મ્સ એક્ટ કેસમાં હથિયારના લાઇસન્સને લઇને ખોટા એફિડેવિટ રજૂ કરવા સરકારે સલમાન સામે અરજી કરી હતી

જોધપુર, તા. ૧૧ : કાળિયાર શિકાર કેસમાં જોધપુર જિલ્લા કોર્ટ તરફથી બોલિવૂડ અભનેતા સલમાન ખાનને ગુરુવારે મોટી રાહત મળી છે. સલમાન ખાન તરફથી ખોટા સાક્ષી રજૂ કરવા સંબંધમાં રાજ્ય સરકાર દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તેને કોર્ટે નામંજૂર કરી છે. સલમાન ખાન દ્વારા હથિયારોને લઇને આપેલા ખોટા એફિડેવિટ અંગે જોધપુર કોર્ટે પોતાના નિર્ણય આપ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બે અરજીઓને નામંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે આર્મ્સ એક્ટ કેસમાં હથિયારના લાઇસન્સને લઇને ખોટા એફિડેવિટ રજૂ કરવા માટે રાજ્ય સરકારે સલમાન ખાન સામે અરજી કરી હતી. પહેલા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અરજીને નીચલી અદાલતે પણ નામંજૂર કરી હતી.

સલમાન ખાનના વકિલે કોર્ટમાં જણાવ્યું કે જોધપુર જિલ્લા કોર્ટે એક ડિટેલ્ડ ઓર્ડરમાં રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી બંને અરજીને ફગાવી દીધી છે. તેમણે આગળ કહ્યું કે મે ૨૦૦૬ના વર્ષમાં જવાબ આપ્યો હતો કે અમે ખોટા એફીડેવિટ આપ્યા નથી અને આવી અરજીઓ સલમાન ખાનની છબિ બગાડવા માટે કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ના વર્ષમાં એક નીચલી અદાલતે ઓક્ટોબર ૧૯૯૮ના વર્ષમાં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંહગ દરમિયાન બે કાળિયારના શિકાર માટે સલનામ ખાનને અપરાધી ગણીને પાંચ વર્ષ જેલની સજા આપી હતી. અભિનેતાએ નીચલી અદાલતના નિર્ણયને સેશન કોર્ટમાં પડકાર્યો હતો.

(12:00 am IST)