Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

દિલ્હી ચુંટણી જંગ

કેજરીવાલ સામે ભાજપનું સુરસુરીયું કેમ થઇ ગયું?

લાખ પ્રયાસો છતાં ભાજપ બે આંકડે પણ પહોંચી ન શકયું: કોંગ્રેસનું ધબાય નમઃ થઇ ગયું

નવી દિલ્હી,તા.૧૨: દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે, આમ આદમી પાર્ટીએ સતત બીજી વખત જીત પ્રાપ્ત કરી છે. આમ આદમી પાર્ટીને ૭૦માંથી ૬૩ સીટ પર વિજય મળતો દેખાઈ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપીએ કેન્દ્રિય મંત્રીઓ અને સાંસદોની સમગ્ર ફોજ ઉતારી હતી. સાથે જ બીજેપીએ ૨ રૂપિયે કિલોગ્રામ લોટ, વિદ્યાર્થીઓને મફત સ્કૂટી અને સાઈકલ જેવા વચનો આપ્યા હતા. ચૂંટણી પ્રચારની કમાન અમિત શાહે સંભાળી હતી. લાખો પ્રયાસ બાદ પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સારું પ્રદર્શન દેખાડી શકયો નથી. જયારે કોંગ્રેસ તો સાફ થઈ ગઈ છે. તો ચાલો જાણીએ ભાજપની હારના કારણો.

દિલ્હીમાં કેજરીવાલની ટક્કરનો નેતા નહીં હોવાને કારણે બીજેપી હારી છે એવું માનવામાં આવી રહ્યું છે. કેજરીવાલે સંપૂર્ણ ચૂંટણી પ્રચાર અભિયાન પોતાના ચહેરા અને પોતાની સરકારના કાર્યની આસપાસ રાખ્યું. આમ આદમી પાર્ટીના પોસ્ટરથી લઈને નારા સુધી કેજરીવાલ છવાયેલા રહ્યા. કેજરીવાલ પણ તે વાત જાણતા હતા કે તેમના વિરોધીઓની પાસે તેમની ટક્કરનો કોઈ ચહેરો નથી માટે તેઓ અમિત શાહને તેમનો સીએમ કેન્ડિડેટ જાહેર કરવાનો પડકાર આપી રહ્યા હતા. કેજરીવાલ તમામ સભાઓમાં કહેતા હતા કે બીજેપી પોતાનો સીએમ કેન્ડિડેટ જાહેર કરે. આ કારણે કેજરીવાલને સીધો ફાયદો મળ્યો.

બીજેપીની હારનું એક મોટું કારણ કોંગ્રેસનું સીનમાંથી ગાયબ થઈ જવું પણ છે. કેજરીવાલ અગાઉ દિલ્હીની સત્ત્।ા પર સતત ૧૫ વર્ષ સુધી ટકી રહેનાર કોંગ્રેસ આ વખતે તેનું ખાતું ખોલી શકી નથી. તેનો વોટ શેર પણ દ્યટી ગયો છે. કોંગ્રેસ નબળી પડી એટલે દિલ્હીમાં સીધો મુકાબલો બીજેપી અને AAP¨Ë જોવા મળ્યો.

બીજેપીએ અરવિંદ કેજરીવાલ સામે તે જ ભૂલ કરી જે મોદી વિરુદ્ઘ સમયાંતરે તેના વિરોધી કરી ચૂકયા છે. આ ભૂલ છે અંગત હુમલાઓ. કેજરીવાલ રાજનીતિના કોઈ કસાયેલા ખેલાડીની જેમ પોતાના અંગત હુમલાઓને હથિયાર બનાવવામાં સફળ રહ્યાં. ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપી નેતાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલાઓ પણ કર્યા હતાં. ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપી નેતાઓએ અરવિંદ કેજરીવાલ પર અંગત હુમલાઓ કર્યા હતાં. પ્રકાશ જાવડેકર, પ્રવેશ વર્મા જેવા નેતાઓએ તેમને આતંકવાદી, નકસલી, અરાજકતાવાદી પણ કહ્યાં હતાં. દિલ્હી બીજેપી ચીફ મનોજ તિવારીએ કેજરીવાલ હનુમાન મંદિર ગયા તેની મજાક પણ ઉડાવી હતી. કેજરીવાલે આ બધાને પોતાની વિરુદ્ઘ એક હથિયારની જેમ વાપર્યું. તે ચૂંટણી સભાઓમાં લોકોને પૂછતાં રહ્યાં કે શું'દિલ્હીનો દીકરો'આતંકવાદી, દેશદ્રોહી છે? હનુમાન મંદિર જવા પર મનોજ તિવારીએ કરેલા પ્રહારને પણ તેમણે સભાઓમાં મુદ્દો બનાવ્યો હતો.

દિલ્હી ચૂંટણીમાં બીજેપીએ ઝારખંડની ભૂલ ફરી કરી. એટલે કે સ્થાનિકના બદલે રાષ્ટ્રીય મુદ્દા પર જ ફોકસ કર્યું. પીએમ મોદી પણ પોતાની સભાઓમાં નાગરિકતા સુધારા કાયદો, પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈકથી લઈને પોતાની સરકારની સફળતાઓ જ ગણાવતા રહ્યાં. બીજેપીએ સ્થાનિક મુદ્દા ઉઠાવ્યા તો ખરા પરંતુ તેના સમગ્ર કેમ્પેઈનમાં સીએએ અને અન્ય રાષ્ટ્રીય મુદ્દાઓ અને રાષ્ટ્રવાદ જ છવાયેલા રહ્યાં હતાં.

બીજેપીને પોતાના નેતાઓના બગડેલા બોલ ભારે પડ્યા છે. પરિણામ સ્પષ્ટ જણાવે છે કે લોકોને કેટલાક બીજેપી નેતાઓના 'બગડેલા બોલ'પસંદ આવ્યા નથી. શાહીન બાગ અંગે પ્રવેશ શર્મા, અનુરાગ ઠાકુર અને કપિલ મિશ્રા જેવા નેતાઓએ આપત્ત્િ।જનક નિવેદન આપ્યા હતાં. જેના કારણે ત્રણેય પર ચૂંટણી પ્રચાર સમયે પ્રતિબંધ લગાવવો પડ્યો હતો. વર્માએ શાહીન બાગની કાશ્મીર સાથે સરખામણી કરી અને કહ્યું કે પ્રદર્શનકારીઓ દ્યરમાં દ્યૂસીને બહેન-દીકરીઓ પર જુલ્મ કરશે. AAથી બીજેપીમાં આવેલા કપિલ મિશ્રાએ તો દિલ્હી ચૂંટણીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ ગણાવી હતી. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર 'ગોળી મારો ગદ્દારોને' સૂત્રોચ્ચાર કરતાં જોવા મળ્યા હતાં. સીએએ વિરોધી પ્રદર્શનનું કેન્દ્ર બનીને સામે આવેલા શાહીન બાગને 'તોહીન બાગ' પણ કહેવામાં આવ્યું હતું. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વારંવાર એવું કહેતા હતાં કે ઈવીએમનું બટન એટલું ઝડપી દબાવવું કે કરન્ટ શાહીન બાગ પહોંચે. યોગી આદિત્યનાથ પણ 'બિરિયાની નહીં ગોળી'ની વાત કરતા જોવા મળ્યા હતાં.

હકીકતમાં, શરજીલ ઈમામના ભડકાઉ નિવેદનો, કેટલીક જગ્યાઓ પર એન્ટી-સીએએ પ્રદર્શન દરમિયાન આપત્ત્િ।જનક સૂત્રોચ્ચારના કારણે બીજેપીને લાગ્યું કે દિલ્હીમાં સીએએનો મુદ્દો તેનો બેડો પાર કરી શકે છે. જેના કારણે પાર્ટી આક્રમક જોવા મળી અને શાહીન બાગને એક મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવવાની શકય કોશિશ કરી. જોકે, આક્રમકતા એટલે ગમે તેમ બોલવું તેવો અર્થ નથી થતો. જેથી બીજેપીનો દાવ ઉલટો પડ્યો. કોંગ્રેસ નબળી હોવાથી ખ્ખ્ભ્ જ સ્વાભાવિક પસંદગી બની અને કથિત ધ્રુવીકરણની બીજેપીની કોશિશ તેના પર જ ભારે પડી.

(11:29 am IST)