Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

જેએનયુના વિદ્યાર્થીઓ પરના હુમલાનેે વખોડતા રઘુરામ રાજન

નવી દિલ્લીઃ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માજી ગવર્નર રઘુરામ રાજને જવાહરલાલ નેહરૂ  યુનિવર્સિટી (જેએનયુ) મા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપર થયેલા હુમલાને વખોડી કાઢયો હતો અને જણાવ્યુ હતુ કે, ભારત સરકાર તેના નાગરિકોને દબાવી રહી છે તેવા દાવાને આનાથી ટેકો મળે છે.

ડો. રાજને વધુમાં જણાવ્યું હતું કે હુમલાખોરોની ઓળખ હજુ અસ્પષ્ટ છે પણ એક વાત સ્પષ્ટ છે કે હુમલાખોરો માંહેના ઘણા સક્રિય કાર્યકરો છે અને ન તો સરકાર નીમેલું તંત્ર કે ન તો પોલીસ વચ્ચે પડી હતી.

ડો. રાજન જેઓ હાલમાં યુનિવર્સિટી ઓફ ચિકાગોમા઼ ભણાવે છે. તેણે સરકારને મત આપનારાઓને પણ દોષિત ઠેરવ્યા હતા.ઙ્ગ

(12:42 pm IST)